Gujarat Live News
અમદાવાદકચ્છજીવનશૈલીબિઝનેસમનોરંજનરમતગમતરાજકારણરાજકોટરાષ્ટ્રીયવડોદરાવિશ્વસુરતસૌરાષ્ટ્ર

નળ સરોવરમાં 142 પ્રજાતિઓના પક્ષીઓ – 70થી વધુ પ્રજાતિઓ વિદેશની, 1 વર્ષમાં 1.30 લાખથી વધુ પર્યટકોએ લીધી મુલાકાત

ભારતની ‘રામસર સાઇટ’ નળ સરોવર ગુજરાતનું ‘પક્ષીતીર્થ’.

નળ સરોવરમાં ૧૪૨ પ્રજાતિઓના પક્ષીઓ – ૭૦થી વધુ પ્રજાતિઓ વિદેશની.

નળ સરોવરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં અંદાજિત ૧ લાખ ૩૦ હજારથી વધુ પર્યટકોએ મુલાકાત લીધી.

 

ગુજરાત ન્યૂઝ ડેસ્ક : ગુજરાતનું પક્ષીતીર્થ નળસરોવર સહેલાણીઓ ઉપરાંત દેશ વિદેશમાં વિખ્યાત છે. ‘અમદાવાદથી આશરે ૬૨ કિ.મી જ્યારે સાણંદથી ૪૨ કિ.મી દૂર આવેલું નળસરોવર સૌથી મોટું જળપક્ષી અભયારણ્ય અને છીછરા પાણીના સૌથી મોટા સરોવર પૈકીનું એક છે.

 

ગુજરાત વન્યપ્રાણી અને વન્યપક્ષી રક્ષણ અધિનિયમ-૧૯૬૩ની જોગવાઈઓ અંતર્ગત ૮ એપ્રિલ ૧૯૬૯ના રોજ નળસરોવરના ૧૧૫ ચો.કિ.મી વિસ્તારને પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ પાછળથી વધારાના ૫.૮૨ ચો.કિ.મી વિસ્તારને ૨૮ ડિસેમ્બર ૧૯૮૨થી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની જોગવાઈઓ અંતર્ગત પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યુ. આમ, નળસરોવર ૧૨૦.૮૨ ચો કિ.મી જેટલા વિશાળ વિસ્તારમાં અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા વચ્ચે પથરાયેલા એક મીઠા પાણીનું કુદરતી સરોવર તરીકે પથરાયેલો એક મોટો જળ ભંડાર છે.

 

આ સરોવરની લંબાઈ ૩૨ કિ.મી તથા પહોળાઈ ૬.૪ કિ.મી છે. શિયાળાની શરૂઆત સાથે જ વિદેશી પક્ષીઓનું અહીં આગમન શરૂ થઈ જાય છે. તેમજ નળસરોવર પક્ષી અભયારણ્યને “રામસર સાઈટ” તરીકેની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થયેલી છે. વળી મોટી સંખ્યામાં નળસરોવરમાં દૂર-દૂરના દેશોમાંથી સારી એવી સંખ્યામાં વિદેશી પક્ષીઓ દર વર્ષે ચોમાસા બાદ શિયાળાની ઋતુમાં આવે છે.

 

 નળસરોવર વેટલેન્ડ પક્ષી પ્રેમીઓના સ્વર્ગ સમાન

અત્યાર સુધીમાં જળાશયમાં ૧૪૨ પ્રજાતિઓના પક્ષીઓ નોંધાયેલા છે, જે પૈકી ૭૦થી વધુ પ્રજાતિઓ વિદેશમાંથી આવે છે. જેમાં યુરેશિયા, સાઈબીરીયા, રશિયા, ચીન, અને ઉત્તરધ્રૂવ તરફના દેશઓમાંથી વિવિધ યાયાવર પક્ષીઓ અહી (નળસરોવર) આવ્યા હોવાનું નોંધાયેલું છે.  નળસરોવર ખાતે આ પક્ષીઓને ખોરાક અને રહેઠાણ માટેની સુવિધાઓ મળી રહેવાના કારણે આ વેટલેન્ડ પક્ષી પ્રેમીઓનાં સ્વર્ગ સમાન બની ગયું છે.

 

 વર્ષ ૨૦૨૨ની પક્ષી ગણતરીમાં ૧૪૨ પ્રજાતિના કુલ ૨,૫૪,૧૨૮ પક્ષીઓની સંખ્યા નોંધાઇ

નળસરોવર અભયારણ્યની પક્ષી ગણતરી – ૨૦૨૨માં અભયારણ્યને કુલ – ૪૦ ઝોનમાં વિભાજીત કરી ૧૦૪ પક્ષીવિદોની મદદથી પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૪૨ પ્રજાતિના કુલ ૨,૫૪,૧૨૮ પક્ષીઓની સંખ્યા નોંધાયેલી છે. જ્યારે નળસરોવર ખાતે વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ ૬૧,૨૬૮ પ્રવાસીઓએ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૯,૪૦૩ પ્રવાસીઓએ તેમજ વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં અત્યાર સુધીમાં ૪૦,૩૫૪ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

 

Related posts

‘નમો પુસ્તક પરબ’ ની 151 મી કડીમાં પુસ્તક પ્રદર્શનની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

gln_admin

શારદાબેન હોસ્પિટલના તબીબોએ પ્રથમવાર સફળ રીતે મગજનું જટિલ ઓપરેશન પાર પાડ્યું

gln_admin

 ધી ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોસીએશનના વર્ષ 2024 -2025ના હોદ્દેદારોની જુદા જુદા પદો માટે વરણી કરાઈ

gln_admin

Leave a Comment