Gujarat Live News
રાજકારણ
  • ગુજરાત સરકાર દ્વારા એર એમ્બ્યુલન્સ સેવા સુનિશ્ચિત મરામત બાદ ફરી શરૂ
  • અત્યાર સુધીમાં 42 એર એમ્બ્યુલન્સ ફ્લાઈટ સફળતાપૂર્વક ઓપરેટ કરવામાં આવી
  • એર એમ્બ્યુલન્સ બીકક્રાફ્ટ-200 પ્લેનનો ઉપયોગ કરે છે, એરક્રાફ્ટ ડૉક્ટર અને
    પેરામેડિકલ સ્ટાફ સાથે, વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર, ઓક્સિજન સિલિન્ડર અને ECG
  • મોનિટર વગેરે જેવા આવશ્યક તબીબી સાધનો સાથે સજ્જ
  • એર એમ્બ્યુલન્સ સેવાનો લાભ લેવા માટે નાગરિકો 108 પર સંપર્ક કરી શકશે

ગાંધીનગર : રાજય સરકારના સિવિલ એવિએશન ડીપાર્ટમેન્ટ દ્વારા એર એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ
થયો છે. વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લઈ શકે તે માટે ખૂબ જ વ્યાજબી ભાવે
ચલાવવામાં આવે છે. આ સેવા સિવિલ એવિએશન વિભાગ અને GVK-EMRI દ્વારા સંયુક્ત
રીતે ચલાવવામાં આવી રહી છે, જેનો તમામ નાગરિકો લાભ લઈ શકે છે. એર એમ્બ્યુલન્સની
સેવા લેવા માટે નાગરિકો ૧૦૮ ઉપર સંપર્ક કરી ઉક્ત સેવા મેળવી શકે.
એરક્રાફ્ટ અને ઈક્વિપમેન્ટ્સની વાત કરીયે તો, એર એમ્બ્યુલન્સ બીકક્રાફ્ટ-200
પ્લેનનો ઉપયોગ કરે છે, એરક્રાફ્ટ ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ સાથે, વેન્ટિલેટર,
ડિફિબ્રિલેટર, ઓક્સિજન સિલિન્ડર અને ECG મોનિટર વગેરે જેવા આવશ્યક તબીબી સાધનો
સાથે સજ્જ છે. એર એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને હવે ઝડપથી એક એરપોર્ટથી બીજા એરપોર્ટ
પર તુરંત પહોંચાડી શકે શકાય છે, જેથી ક્રિટીકલ કંડીશનમાં તેઓને ઝડપથી અને સમયસર
તબીબી સારવાર મળી શકે.

અત્યાર સુધીમાં 42 એર એમ્બ્યુલન્સ ફ્લાઈટ સફળતાપૂર્વક ઓપરેટ કરવામાં આવી છે.
વધુ માહિતી માટે અથવા એર એમ્બ્યુલન્સ સેવાનો લાભ લેવા માટે નાગરિકો 108 પર સંપર્ક
કરી શકે છે.
ચાલો, ગુજરાતમાં તબીબી સહાયને વધુ સુલભ અને કાર્યક્ષમ બનાવવા માટે સાથે
મળીને કામ કરીએ.

Related posts

ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના મકાનોમાં રહેતા લોકો માટે ખૂશખબર, રીડેવલપમેન્ટ ઝડપી થાય એ માટે મુખ્યમંત્રીના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો

gln_admin

૨૦૨૪- ૨૦૨૫ની વાર્ષિક ગ્રાન્ટમાંથી પ્રથમ ચરણમાં વિકાસ કામો માટે ૨૮ લાખ ૫૦ હજાર ફાળવાયા : ધારાસભ્ય હાર્દિક પટેલ

gln_admin

ક્વોલિટી ઓફ લાઇફ ત્યારે જ શક્ય છે જ્યારે લૉ એન્ડ ઓર્ડરમાં ક્વોલિટી હોય: ગૃહ મંત્રી સંઘવી

gln_admin

Leave a Comment