Gujarat Live News
રાજકારણ

૨૦૨૪- ૨૦૨૫ની વાર્ષિક ગ્રાન્ટમાંથી પ્રથમ ચરણમાં વિકાસ કામો માટે ૨૮ લાખ ૫૦ હજાર ફાળવાયા : ધારાસભ્ય હાર્દિક પટેલ

  • વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારમાં વર્ષ ફાળવવામાં આવ્યા
  • દેત્રોજ તાલુકાના શિહોર ગામે શ્રી શિહોરી માતાજી સંસ્થા દ્વારા આયોજિત પાટોત્સવમાં હાર્દિક પટેલની ઉપસ્થિતિ
  • આરસીસી રસ્તો તેમજ સંસ્થા દ્વારા તૈયાર કરાયેલું માતાજીના સન્મુખ પ્રવેશદ્વારનું લોકાર્પણ

AHMEDABAD: અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના શિહોર ગામે શ્રી શિહોરી માતાજી સંસ્થા દ્વારા આયોજિત એક દિવસીય પાટોત્સવમાં ધારાસભ્ય  હાર્દિક પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય  હાર્દિક પટેલની વાર્ષિક ગ્રાન્ટમાંથી બનાવેલ આરસીસી રસ્તો તેમજ સંસ્થા દ્વારા તૈયાર કરાયેલું માતાજીના સન્મુખ પ્રવેશદ્વારનું ધારાસભ્ય  હાર્દિક પટેલ તેમજ લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે હાર્દિક પટેલે કહ્યું કે, ધારાસભ્ય તરીકે ગામડાંઓમાં તેમજ ધાર્મિક જગ્યાઓના વિકાસ માટે અગ્રેસર રહીને કામ કરી રહ્યો છું. એટલું જ નહીં, વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારમાં વર્ષ ૨૦૨૪- ૨૦૨૫ની વાર્ષિક ગ્રાન્ટમાંથી પ્રથમ ચરણમાં વિકાસ કામો માટે કુલ રૂ. ૨૮ લાખ ૫૦ હજાર ફાળવવામાં આવ્યા છે. જેમાં વિરમગામ શહેરના વિવિધ વિસ્તારોમાં બેસવા માટે રૂ. ૪ લાખ ૫૦ હજારના ખર્ચે ૧૫૦ નંગ બાકડા, વિરમગામ તાલુકાના ગામડાંઓમાં બેસવા માટે રૂ. ૪ લાખ ૫૦ હજારના ખર્ચે ૧૫૦ નંગ બાકડા, માંડલ તાલુકાનાં ગામડાઓમાં બેસવા માટે રૂ. ૩ લાખના ખર્ચે ૧૦૦ નંગ બાકડા, દેત્રોજ તાલુકાના ગામડાઓમાં બેસવા માટે રૂ. ૩ લાખના ખર્ચે ૧૦૦ નંગ બાકડાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વિરમગામ તાલુકાના નીલકી ગામે મુખ્ય બજારમાં રૂ. ૪ લાખના ખર્ચે આરસીસી રસ્તાનું કામ, માંડલ તાલુકાના સોલગામમાં મુખ્ય બજારમાં રૂ. ૪ લાખના ખર્ચે પેવર બ્લોકનું કામ અને દેત્રોજ તાલુકાના ઘેલડા ગામે પટેલ પરામાં રૂ. ૫.૫૦ લાખના ખર્ચે આરસીસી રસ્તાનું કામ પૂર્ણ કરાશે, એમ વિરગામના ધારાસભ્ય હાર્દિક પટેલે વધુમાં ઉમેર્યું હતું.

Related posts

નળ સરોવરમાં 142 પ્રજાતિઓના પક્ષીઓ – 70થી વધુ પ્રજાતિઓ વિદેશની, 1 વર્ષમાં 1.30 લાખથી વધુ પર્યટકોએ લીધી મુલાકાત

gln_admin

ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2023ની નવી બેચના 8 પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મુલાકાત

gln_admin

નર્મદા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.27 ટકા પરિણામ, પરિણામ ઊચું આવવાના આ છે કારણો

gln_admin

Leave a Comment