Gujarat Live News
જીવનશૈલી

શારદાબેન હોસ્પિટલના તબીબોએ પ્રથમવાર સફળ રીતે મગજનું જટિલ ઓપરેશન પાર પાડ્યું

 

અમદાવાદના ૬૦ વર્ષના અરજણભાઈ રાવલ મગજની બીમારીથી પીડાતા હતા. મગજની
નિષ્ણાત ડોક્ટરો પાસે તબીબી તપાસ કરાવતા મગજમાં લોહીની નસ ફાટી ગયેલ છે અને તેનું
તાત્કાલિક ઓપરેશન કરવું જરૂરી છે તેવું જ્યારે તેમના પરિવારજનોને જાણવા મળ્યું ત્યારે સૌ
ચિંતા કરવા લાગ્યા કારણ કે અરજણભાઈને આર્થિક રીતે કોઈ સહારો નહોતો પણ આ સ્થિતિમાં
રાજ્ય સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY નો તેમને સથવારો મળ્યો છે.
જેનાથી પરિવારજનોમાં અરજણભાઈને જીવાડવાની આશા જન્મી હતી.
તેમના સગા-સંબંધી અરજણભાઈને અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં લઈ આવ્યા અને
૧૦ જૂન ૨૦૨૪ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહીં હોસ્પિટલના તબીબોએ
તેમના તમામ તબીબી પરીક્ષણો તથા સીટી સ્કેન કર્યા જેમાં તેમના મગજમાં લોહીની નસ ફાટી
ગયેલ એટલે કે બ્રેઈન હેમરેજ થયેલ હોવાનું જણાયું હતું.

આ બ્રેઈન હેમરેજ થવું એ કેટલું જોખમી છે અને તેનું ઓપરેશન અને સારવાર તે પણ કેટલાં
જોખમી અને ખર્ચાળ છે ? તેની સાથે સાથે ઓપરેશન અને સારવાર દરમ્યાન લકવો થઈ
જવો, ખેંચ આવવી, ગળામાં કાણું પાડવું અને દર્દીનું મૃત્યુ પણ થઈ શકે તેવાં જોખમો અંગે
તબીબોએ વિગતવાર સમજાવ્યું. તેમજ પરિવારજનોની સંમતિ લઈને નિષ્ણાત તબીબોની
ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

અમદાવાદ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં આ પ્રકારનું
આ પ્રથમ ઓપરેશન હતું. મગજની ઉચ્ચતમ લેવલની કહી શકાય તેવી સર્જરીમાંની આ એક
હતી. જેમાં મગજમાં લોહીની નસ ફાટી જાય તો એને તાત્કાલિક ધોરણે શસ્ત્રક્રિયા કરીને એ
નસની ઉપર ક્લિપિંગ કરવાનું હોય છે, જો તેમ ન કરવામાં આવે તો દર્દીનું મૃત્યુ પણ થઈ
શકે, ઓપરેશન કરવું ખૂબ જોખમી પણ હતું છતાં હોસ્પિટલના ડોક્ટરોએ અધ્યતન સાધનો-
ટેકનોલોજી અને પોતાની તજજ્ઞતાની મદદથી આ અરજણભાઈના મગજની જટિલ કહી શકાય
તેવી સર્જરી સફળ રીતે પાર પાડી છે.

અરજણભાઈને સંપૂર્ણ સ્વસ્થ બનાવી માત્ર ત્રણ જ દિવસમાં રજા આપવામાં આવી છે, જો
ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન કરાવવામાં આવે તો ખૂબ જ મોટો ખર્ચ આવે પરંતુ અહીં
પીએમજેવાય યોજનાના લીધે વિનામૂલ્ય ઓપરેશન કરવામાં આવ્યું છે.
અરજણભાઈને નવું જીવન મળતાં પરિવારજનો ખુશી સાથે સરકાર અને હોસ્પીટલના તબીબો
સહિત સમગ્ર સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે.

Related posts

બાળકોને પેકેજ્ડ ફૂડ અને ફાસ્ટફૂડથી દૂર રાખવા ગુજરાત યોગબોર્ડનો અનોખો અભિગમ

gln_admin

નળ સરોવરમાં 142 પ્રજાતિઓના પક્ષીઓ – 70થી વધુ પ્રજાતિઓ વિદેશની, 1 વર્ષમાં 1.30 લાખથી વધુ પર્યટકોએ લીધી મુલાકાત

gln_admin

કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ચૂંટણી સમયે આવા નિવેદન કરી લોકશાહીની પ્રક્રિયાને ડેમજ કરવાનો પ્રયત્ન કર્યો છે – પાટીલ

gln_admin

Leave a Comment