Gujarat Live News
અમદાવાદ

એસવી આર્ટ્સ કોલેજમાં કારગીલ વિજય દિવસ ઉજવણીમાં શહીદોને પુષ્પાંજલિ અને તેમના સ્વજનો માટે સન્માન કાર્યક્રમ યોજાયો

નવમી ગુજરાત બટાલિયન ની એસ વી આર્ટ્સ કોલેજમાં આજ રોજ કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી,જે અંતર્ગત અમદાવાદના ત્રણ વીર શહીદ જવાન ના સ્વજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ નીરજા અરૂણ ગુપ્તાના વરદ હસ્તે શહીદ કેપ્ટન નિલેશ સોની, લાન્સ નાયક ગોપાલસિંહ ભદૌરીયા અને સિપાઈ ઈસ્માઈલ શેખ ના સ્વજનોને શાલ ઓઢાડી, સ્મૃતિચિન્હ અને શહીદનો ફોટો અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એસ વી પરિવારના કૉ ઓર્ડીનેટર પ્રિન્સિપાલ મીરાંબેન મેનન, સહિત આચાર્યશ્રીઓ ડૉ જગદીશ ચૌધરી, ડૉ રૂપલબેન પટેલ અને ડૉ હિતેન્દ્ર વ્યાસ સહિત અધ્યાપકશ્રીઓ, કર્મચારીઓ અને NCC કેડેટ દ્વારા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શહીદો અમર રહો અને ભારત માતા કી જય ના નારા થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

Related posts

સમાજના રીયલ હીરોને તેમના સેવાકીય કાર્યો માટે મુખ્યમંત્રીના હસ્તે મળ્યા એવોર્ડ્સ

gln_admin

સમરાગા ફેસ્ટિવલે હોમેજ કાર્યક્રમ દ્વારા અમદાવાદના શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા

gln_admin

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ગ્રામ્ય ક્ષેત્રની સ્થિતિ જાણવા માટે અધિકારીઓ પહોંચ્યા ગામડે

gln_admin

Leave a Comment