Gujarat Live News
Uncategorized

ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખેડૂતોએ શું કાળજી રાખવી?

  • બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓ માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ  ખરીદવા
  • અનઅધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓના વેચાણની જાણ જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને કરવી

અમદાવાદ જિલ્લાના તમામ ખેડૂતોને ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા
જંતુનાશક દવાઓ માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી
સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો. કોઇપણ
સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી
ક્યારેય પણ ખેતી માટે જરૂરી વિવિધ ઇનપુટોની ખરીદી કરવી નહી. જેથી, છેતરપીંડીથી બચી
શકાય.
બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું
લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ, લોટ નંબર વિગેરે વિગત
દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા
ઇનપુટોની ખરીદી કરવી નહી. હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબનાં જથ્થામાં જ બિયારણ,
ખાતર તથા જંતુનાશક દવાઓનો કાર્યક્ષમ ઉપયોગ કરવો. પાકને નિંદામણ મુક્ત રાખવો
જોઈએ, જેથી નિંદામણને કારણે પાક પર થતી માઠી અસર નિવારી શકાય. અનઅધિકૃત
અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતુ

હોવાનું ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી
નિયામકશ્રી (વિસ્તરણ)ને તુરંત જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
ખરીદ કરેલ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓના ઉપયોગને લીધે ઉભા પાકમાં
કોઇ ફરીયાદ જણાય તો આવી ફરીયાદના નિવારણ અર્થે સરકારશ્રી દ્વારા જિલ્લા કક્ષાની ઉભા
પાકની કમિટીની રચના કરવામાં આવેલ છે. જેના અધ્યક્ષ જે તે જિલ્લાના જિલ્લા ખેતીવાડી
અધિકારી તથા સભ્ય તરીકે જે તે જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) તથા કૃષિ
યુનિવર્સીટી કૃષિ નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવેલ છે. ઉભા પાકની ફરીયાદ માટે
અરજદાર દ્વારા સબંધિત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને ફરીયાદ કરવાની રહે છે
તથા ફરીયાદના આધારે ઉભા પાકની કમિટી દ્વારા સ્થળની મુલાકાત કરી જે તે હકીકત હોય તે
મુજબ નુકશાનીના અંદાજ સાથે ખેડૂતને અહેવાલ આપવામાં આવે છે. જે ખેડૂતોને કાયદાકીય
કાર્યવાહીમાં મદદરૂપ થાય છે. આમ, આ માહિતી નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ),
અમદાવાદ દ્વારા ખેડૂતોના હિતમાં અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

Related posts

જી.ટી.યુ.ના એસોસિએટ ડીન ડો. તેજલ આર.ગાંધીને ફેલોશીપ એવોર્ડ-2024 એનાયત થયો

gln_admin

દેશી ગાય નિભાવ પેટે ખેડૂતોને દર મહિને રૂ. ૯૦૦ અને વાર્ષિક રૂ.૧૦,૮૦૦ ની સહાય, અમદાવાદમાં જિલ્લાના ૪ હજાર જેટલાં ખેડૂતોને રૂ. ૨.૧૫ કરોડ ચૂકવાયા

gln_admin

સમગ્ર અમદાવાદમાં ઉંદર પકડવાની ગ્લુટ્રેપ કે ઉંદરના પાંજરા પરના વેચાણ, ઉપયોગ પર પ્રતિબંધ

gln_admin

Leave a Comment