Gujarat Live News
Uncategorized

સમગ્ર અમદાવાદમાં ઉંદર પકડવાની ગ્લુટ્રેપ કે ઉંદરના પાંજરા પરના વેચાણ, ઉપયોગ પર પ્રતિબંધ

  • સમગ્ર અમદાવાદમાં ઉંદર પકડવાની ગ્લુટ્રેપ/ ગ્લુબોર્ડના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ
  • પ્રાણી ક્રૂરતા અધિનિયમ, ૧૯૬૦ની કલમ ૧૧ મુજબ ઉંદર નિયંત્રણ માટે અન્ય પદ્ધતિનો ઉપયોગ કરવા સૂચના

પ્રાણી ક્રૂરતા અધિનિયમ, ૧૯૬૦ની કલમ ૧૧ મુજબ કોઈ પણ પ્રાણીને બિનજરૂરી પીડા
કે વેદના ન થાય તે અંગે જોગવાઈ થઇ છે. જે અન્વયે અમદાવાદ જિલ્લામાં ઉક્ત જોગવાઈનું
ચુસ્તપણે અમલવારી કરવામાં આવી રહી છે. (ગ્લુટ્રેપ) જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટિકી ટ્રેપ તરીકે
પણ ઓળખવામાં આવે છે. તે બિન-ઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે. જેનો ઉપયોગ
મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર ગ્લુટ્રેપવાળી સપાટી પર ચાલે છે અથવા
ઊતરે છે, તેઓ ગુંદરની જાળમાં પકડાયા પછી ઉંદર પોતાની રીતે મુક્ત કરવામાં અસમર્થ
હોય છે, જેના પરિણામે ડિહાઈડ્રેશન, ભૂખમરો, ગૂંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ
પામે છે.


ઉંદરોનું નિયંત્રણ ઇચ્છનીય છે, પરંતુ તે માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ પ્રાણી ક્રૂરતા
નિવારણ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરતી ન હોવી જોઈએ. જેથી ઉંદરોની વસ્તી
નિયંત્રણ માટે અત્યંત ક્રૂર પદ્ધતિ ન અપનાવવા, ઉંદર પકડવા સારુ વિવિધ સાધનસામગ્રી
વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુટ્રેપના વેચાણ ઉપર સમગ્ર અમદાવાદ જિલ્લામાં પ્રતિબંધ
ફરમાવવામાં આવે છે. ઉક્ત સૂચનાઓનો ભંગ કરનાર સામે પ્રાણી ક્રૂરતા અધિનિયમ,
૧૯૬૦ની કલમ ૧૧ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. એવું અમદાવાદ જિલ્લા પ્રાણી
ક્રૂરતા નિવારણ સમિતિ અને પશુપાલન વિભાગની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

Related posts

સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી ના પહોંચતા ટપાલ વિભાગે શરુ કરી “ડાક ચૌપાલ”

gln_admin

વિદ્યાર્થીઓ ઓછા મળતા અમદાવાદમાં ડિપ્લોમા ઈજનેરીના અભ્યાસક્રમ પ્રવેશ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાશે

gln_admin

ચાલુ વર્ષે ૨ લાખ ૩ હજાર કિલો કેરીનું ઈ- રેડીએશન કરીને તેની વિદેશમાં નિકાસ થઈ : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

gln_admin

Leave a Comment