Gujarat Live News
અમદાવાદ

રક્ષાબંધનના દિવસે ૧ લાખથી વધુ મહિલાઓએ વિનામૂલ્યે મુસાફરીનો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ સેવાનો લાભ લીધો

  • રક્ષાબંધનના દિવસે ૧ લાખથી વધુ મહિલાઓએ વિનામૂલ્યે મુસાફરીનો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ સેવાનો લાભ લીધો
  • રક્ષાબંધનના દિવસે કુલ રૂ.૧૨.૨૧ લાખ કંડકટર આવક થઈ
  • રક્ષાબંધનના દિવસે કુલ ૩.૦૪ લાખ પ્રવાસીઓએ અ.મ્યુ.ટ્રા.સ.ની બસ સેવાનો લાભ

રક્ષાબંધનનો પર્વ દેવ-દર્શન તેમજ રાખડી બાંધવાના પર્વ તરીકે સમાજના સમગ્ર વર્ગના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. આ દિવસે મહીલાઓ રક્ષાબંધનનો તહેવાર મનાવવા સમગ્ર કુટુંબ સાથે અમદાવાદ શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે અવર-જવર કરતા હોય છે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ સેવાનો મહત્તમ ઉપયોગ થાય એ ઉદ્દેશ થી ૧૯ ઓગસ્ટ સોમવારના રોજ રક્ષાબંધન પર્વ હોવાથી આ દિવસે ફકત મહિલાઓ અ.મ્યુ.ટ્રા.સ ની બસોમાં સવારના પ્રથમ પાળીથી રાત્રીની બીજી પાળી પૂરી થવાના સમય સુધી વીના મુલ્યે મુસાફરીનો લાભ લઇ શકે તે હેતુથી અ.મ્યુ.ટ્રા.સ. દ્વારા યોજના અમલમાં મૂકેલી છે.

આ યોજના અંતગર્ત રક્ષાબંધનના દિવસે કુલ ૧,૦૨, ૧૯૧ મહીલાઓએ વીના મુલ્યે મુસાફરીની યોજનાનો લાભ લીધો છે.
આ સાથે રક્ષાબંધનના દિવસે કુલ રૂ. ૧૨.૨૧ લાખ કંડકટર આવક થઈ છે. એટલું જ નહિ આ દિવસ દરમ્યાન ૩.૦૪ લાખ પ્રવાસીઓએ અ.મ્યુ.ટ્રા.સ. ની બસ સેવાનો લાભ પણ લીધો છે.

Related posts

રાજપૂતોની આસ્થાના કેન્દ્રસમાન શ્રી ભવાનીધામનું નિર્માણ આગામી 2 વર્ષમાં થશે પૂર્ણ

gln_admin

સાણંદના સામાજિક કાર્યકર મનુભાઈ બારોટના પુસ્તક ‘માનવ સેવાની મહેક’ નું વિમોચન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

gln_admin

૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ : વિરમગામ ખાતે પપેટ શો કરીને અનોખી રીતે લોકોને જાગૃત કરાયા

gln_admin

Leave a Comment